આજના જડપી યુગમાં જેમ જેમ આપણે આધુનિકતા તરફ આગળ વધીએ છીએ તેમ તેમ પરંપરાગત વસ્તુઓ જેમકે દીવાલ ઘડિયાળનું સ્થાન ડિજિટલ ઉપકરણો લેતા જાય છે. જો કે, વાસ્તુશાસ્ત્રનાં વર્ષો જૂના નિયમો મુજબ ઘરની અંદર ઘડિયાળ લગાવવાનું કારણ માત્ર સમય જાણવા માટે નથી, તે હકારાત્મક ઊર્જા અને સદ્ભાવ મેળવવા વિશે છે. આ લેખમાં આપણે વાસ્તુના વર્ષો જૂના નિયમોનું પાલન કરીને કઈ રીતે સારું અને સમૃદ્ધિ જીવન સુનિશ્ચિત કરવા દીવાલ ઘડિયાળ કઈ દિશામાં રાખવી જોઈએ તેના વિશે માહિતી મેળવીશું.
વાસ્તુશાસ્ત્રનું મહત્વ
દિવાલ ઘડિયાળના સ્થાન વિશે જાણતા પહેલા, વાસ્તુશાસ્ત્ર વિશે જાણવું જરૂરી છે. વાસ્તુશાસ્ત્ર એ પ્રાચીન ભારતીય વિજ્ઞાન છે જે કોઈ સ્થાપત્યની દિશા, ત્યાં રાખવામાં આવેલ વસ્તુઓનું સ્થાન અને તેના દ્વારા સંતુલિત થતી હકારાત્મક અને નકારાત્મક ઊર્જા કઈ રીતે આપણા જીવનમાં યોગદાન આપશે તેના વિશે માહિતી આપતું શાસ્ત્ર છે. ઘડિયાળની વાત કરીએ તો વાસ્તુમાં ઘડિયાળ ઘરમાં સકારાત્મકતા અને સુખ શાંતિ જાળવવા માટેનું માર્ગદર્શન આપે છે.
ઘડિયાળ માટે યોગ્ય દિશાની પસંદગી
વાસ્તુનાં નિયમ પ્રમાણે દીવાલ ઘડિયાળ કઈ દિશામાં મૂકવામાં આવે છે તેનું ખૂબ મહત્વ છે. વાસ્તુ નિષ્ણાંતો પ્રમાણે ઉત્તર અને પૂર્વ દિશામાં ઘડિયાળ રાખવી અત્યંત શુભ માનવામાં આવે છે. ઉત્તર દિશા સંમપત્તીના દેવ કુબેર સાથે સંકળાયેલી છે, જ્યારે પૂર્વ દિશા પર ઇન્દ્ર દેવનું શાસન છે. એવું માનવામાં આવે છે કે આ દિશાઓમાં દીવાલ ઘડિયાળ રાખવાથી સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
સામાન્ય ભૂલો ટાળવી
રહેવા માટે સંતુલિત જગ્યા બનાવવા માટે અમુક ભૂલો ઓળખવી જોઈએ અને તેને ટાળવી એટલીજ મહત્વપૂર્ણ છે. દક્ષિણ દિશા તફફની દીવાલ પર ઘડિયાળ રાખવી અશુભ માનવામાં આવે છે, કારણકે એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તે આર્થિક મુશ્કેલીઓ તરફ દોરી જાય છે. વસ્તુ દરેક રૂમમાં રાખવી ઘડિયાળ રાખવાની ભલામણ કરે છે, પરંતુ તેને મુખ્ય દરવાજા, બાલ્કની અથવા વરંડા પર લટકાવવાનું ટાળવું જોઈએ, કારણકે આવી જગ્યાએ ઘડિયાળ રાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જાને આકર્ષિત કરે છે.
કાર્યક્ષમતા અને જાળવણી પર ધ્યાન
માત્ર સ્થાન અને દિશા ઉપરાંત વાસ્તુમાં દીવાલ ઘડિયાળની કાર્યક્ષમતા અને જાળવણી પર કાળજી રાખવી જોઈએ. ઘડિયાળ હંમેશા ચાલુ હોવી જોઈએ, ખરાબ થયેલી અથવા સ્થિર ઘડિયાળ નકારાત્મક ઊર્જાને આકર્ષિત કરે છે. માટે, જો ઘડિયાળ કામ કરતી બંધ થઇ જાય તો તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ. ઘડિયાળ હંમેશા સ્વચ્છ, તિરાડોથી મુક્ત રાખવી અને સકારાત્મક ઊર્જાને પ્રવાહને ચેલું રાખવા ચોક્કસ સમય બતાવે તે વાતનું ધ્યાન રાખવું જોઈએ.
વિવિધ જગ્યાઓ માટે વાસ્તુ સિદ્ધાંતો
ઘરનો દરેક ભાગ પોતાનું એક અલગ મહત્વ ધરાવે છે એ વાતને ધ્યાનમાં રાખીને, વસ્તુ દીવાલ ઘડિયાળના સ્થળ માટે ચોક્કસ ભલામણો આપે છે. બેડરૂમમાં પૂર્વ અથવા ઉત્તર દિશાને મહત્વ આપવામાં આવે છે, જેમાં સૂતી વખતે જે લોકો દક્ષિણ તરફ માથું રાખે છે તેના માટે વિશેષ ધ્યાન રાખવું. લિવિંગ રૂમ, આખો પરિવાર જે જગ્યાએ પ્રવૃત્તિઓ કરતો હોય તેવું સ્થાન પર ઉત્તર દિશામાં ઘડિયાળ રાખવી, જે સંપત્તિનાં દેવ સાથે જોડાયેલી છે.
રંગ અને આકારનું મહત્વ
વાસ્તુ માત્ર લગાવવાની જગ્યા પૂરતું સીમિત નથી અને તેના નિયમો પ્રમાણે દીવાલ ઘડિયાળના રંગ અને ડિઝાઇન પણ મહત્વના છે. અલગ અલગ દિશાઓ માટે ચોક્કસ રંગ સૂચનો સાથે સફેદ, હળવો રાખોડી અને વાદળી રંગ ની ભલામણ કરે છે. ઉત્તર દિશાની દીવાલ માટે ધાતુ અથવા સફેદ રંગની પસંદગી કરવામાં આવે છે, જ્યારે પૂર્વ દિશા માટે લાકડાના શેડ્સની પસંદગી કરવામાં આવે છે. આ ઉપરાંત ઘડિયાળ ગોળાકાર રાખવાની પસંદગી કરવામાં આવે છે.
કંઈ આંખ ફરકે તો શુભ માનવામાં આવે છે?
અન્ય વાસ્તુ ટિપ્સ
આપના રહેવામાં સ્થાન પર સદ્ભાવ બની રહે તે માટે દક્ષિણપશ્ચિમ અથવા દક્ષિણપૂર્વ દિશામાં દીવાલ ઘડિયાળ મૂકવાનુ ટાળવું, ખાતરી રાખવી કે વાસ્તવિક સમય કરતાં ઘડિયાળ થોડી મિનિટ આગળ ચાલે અને ગોળ આકારની ઘડિયાળને શુભ પ્રતીક માનવામાં આવે છે. આ સૂચનો ઓફિસ માટે પણ લાગુ પડે છે, જ્યાં ઉત્તર અને પૂર્વ દિશાને મહત્વ આપવામાં આવ્યું છે, જે ખ્યાતિ અને સફળતાને આકર્ષિત કરે છે.
વાસ્તુ સાથે સમય
આજના ટેકનોલોજીથી સજ્જ યુગમાં ડિજિટલ ઘડિયાળ વધારે મહત્વ ધરાવે છે, ત્યારે વાસ્તુશાસ્ત્ર આપણને સચેત અને સુમેળથી રહેતા શીખવે છે. વાસ્તુની મદદથી લોકો સમય જોવાથી પણ આગળ હકારાત્મક ઊર્જાને આકર્ષિત કરે છે અને સમૃદ્ધિ અને સુખાકારીને પ્રોત્સાહન આપે છે.