ભારતના રમતગમતના સમૃદ્ધ ઇતિહાસના સંગ્રહમાં અનેક વાર્તાઓ છે, જેમાં દ્રઢતા, નિશ્ચય અને અપ્રતિમ કૌશલ્યની ગથાઓનો સમાવેશ થાય છે. આ કથાઓમાં ખાશાબા દાદા સાહેબ જાદવનુ નામ છે, જેઓ એક ફ્રિ સ્ટાઇલ કુસ્તીબાજ હતા જેમણે ભારતના રમતગમત ઇતિહાસમાં પોતાનું નામે સ્વર્ણ અક્ષરે લખ્યું છે. ખાશાબા દાદાસાહેબ જાધવનો જન્મ 15 જાન્યુઆરી, 1926ના રોજ મહારાષ્ટ્રના ગોલેશ્વર નામના ગામમાં થયો હતો. કે. ડી. જાધવની સાધારણ પૃષ્ઠભૂમિમાંથી ભારત તરફથી પ્રથમ વ્યક્તિગત ઓલિમ્પિક મેડલ જીતવા સુધીની સફર સ્થિતિસ્થાપકતા અને અતૂટ જુસ્સાથી ભરેલી છે.
ખાશાબા દાદાસાહેબ જાધવનું પ્રારંભિક જીવન
સામાન્ય પરિવારમાંથી આવતા K.D. Jadhavને કુસ્તીમાં મહારત તેમના દાદાસાહેબ પાસેથી વારસામાં મળી હતી, જેઓ પોતે કુશળ કુસ્તીબાજ હતા. ખાશાબાની ઊંચાઈ 5ફૂટ 6ઇંચ હોવા છતાં, તેમની પ્રતિભા અને મક્કતાએ તેમને બીજા લોકો કરતા અલગ પાડયા. તેમના પિતાના લીધે તેમને કુસ્તી પત્યે વધારે લગાવ થયો અને બાદમાં તેઓ “પોકેટ ડાયનેમો” તરીકે ઓળખાયા.
ઓલિમ્પિક સ્વપ્ન
તેમના શરૂઆતના સમયમાં ઊભા થયેલા પડકારો છતાં, કે.ડી. જાધવનું ઓલિમ્પિકમા ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું અને ગોલ્ડ મેડલ જીતવાનું સપનું હતું. આર્થિક તંગીને કારણે નિરાશ થઈ તેમણે 1948માં લંડન ઓલમ્પિક્સ માટે કોલ્હાપુરના મહારાજ દ્વારા ટેકો આપતા તેમનું સપનું આગળ વધાર્યુ. જોકે તેમાં સારું પ્રદર્શન કરવા છતાં ઈચ્છા પ્રમાણે પરિણામ ન મળ્યું પરંતુ તેમની ભાવના અખંડ રહી હતી.
હેલસિંકી ઓલિમ્પિક્સ 1952માં વિજય
પોતાનું નિશાન છોડવા આતુર કે.ડી. જાધવે પોતાનું ઘર ગીરવે મૂકી અને મહારાષ્ટ્ર સરકાર પાસેથી નાણાકીય સહાય મેળવી ચાર વર્ષ સુધી સતત પોતાની ટ્રેનીંગ ચાલુ રાખી. ખાશાબાએ 1952 હેલસિંકી ઓલિમ્પિક્સમાં બેન્ટમવેટ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. આ સ્પર્ધામાં તેઓએ મેક્સિકો, જર્મની અને કેનેડાના ખેલાડીઓને હરાવી વ્યક્તિગત રમતગમતમાં ભારતનું કૌશલ્ય બતાવ્યું હતું.
ઓલિમ્પિક પછીની સિદ્ધિઓ અને પડકારો
ઓલિમ્પિકમાં જીત બાદ જાધવ મુંબઈ પોલીસમાં સબ-ઇન્સ્પેક્ટર તરીકે જોડાયા, ઉંચ સેવા આપી આસિસ્ટન્ટ કમિશનર તરીકે બઢતી મેળવી તેમ છતાં તેમનો કુસ્તી પ્રત્યે પ્રેમ બની રહ્યો અને ભારતના અનેક યુવાનોને પ્રેરણા આપ. 14 ઓગસ્ટ 1984નાં રોજ એક માર્ગ અકસ્માતમાં તેમની સફર ટુંકાઈ પરંતુ તેઓ પાછળ પ્રેરણાદાયી વારસો છોડતા ગયા.
બાલામણિ અમ્મા કોણ છે?
પુરસ્કારો
ખાશાબા દાદાસાહેબ જાધવના યોગદાનને ધ્યાનમાં રાખીને 1982 એશિયન ગેમ્સમાં મશાલ રિલેમાં ભાગ લેવામાં અને મરણોપરાંત 1992-1993માં મહારાજા છત્રપતિ શિવાજી સન્માન જેવા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને 2010નાં કોમનવેલ્થ ગેમ્સમાં કુસ્તી સ્થળનું નામ તેમના સન્માનમાં રાખવામાં આવ્યું હતું. તેમના 97માં જન્મદિવસ નિમિતે તેમને ગૂગલ દ્વારા ડૂડલ વડે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
વારસો અને સન્માન
આટલી ઉપલબ્ધિઓ હોવા છતાં જાધવ એકમાત્ર એવા ભારતીય ઓલિમ્પિક મેડલ વિજેતા છે જેમને ક્યારેય પદ્મ એવોર્ડ નથી મળ્યો. સ્વતંત્ર ભારતના પ્રથમ વ્યક્તિગત મેડલ વિજેતા જેવી સિધ્ધિઓ તેમને અન્ય કરતા અલગ પાડે છે. લંડન ઓલિમ્પિક્સથી હેલસિંકી સુધીની તેમની સફર તેમની સ્થિતિસ્થાપકતા અને નિશ્ચય શક્તિનું સૌથી મોટું ઉદાહરણ છે.
ખાશાબા દાદાસાહેબ જાધવની વાર્તા દર્શાવે છે કે કઈ રીતે અવરોધો દૂર કરીને શફળતા તરફ આગળ વધવું અને તેમની આ વાતો ભારતની આવનારી રમતવીરોની પેઢીને હંમેશા પ્રેરિત કરતી રહેશે જે સાબિત કરે છે કે જો પોતાના સપના પ્રત્યે અતૂટ સમર્પણ સાથે અનુસરવામાં આવે તો તે વાસ્તવિકતા બની શકે છે.